

રામાનંદ પરંપરાના મહાન સંત પીપજી જે કબીરસાહેબ ના ગુરુ ભાઈ હતા જેમણે રામાનંદ ફોજના એક અણમોલ રતન ભક્ત પીપજી...
આ વાક્ય જરૂર સાંભળ્યું હશે કે
- ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. માનવ મન જ બધી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો મૂળ આધાર છે. ઈશ્વર કે પરબ્રહ્મની ઓળખ મનની અનુભૂતિથી થાય છે,
ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
ભારતના સંત આકાશમાં ભક્તરાજ પીપાજી એક તેજસ્વી તારલાની જેમ ચમકે છે. તે ભગવાનના સિદ્ધ ભક્ત હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૩૮૦માં રાજસ્થાનમાં કોટાથી ૪૫ માઈલપૂર્વમાં ગાગરોન ગઢમાં થયો હતો. તે ચૌહાન ગોત્રના ખીંચી વંશ શાખાના પ્રતાપી, પરાક્રમી, પુણ્યકર્મી, પરોપકારી રાજા હતા. ઐતિહાસિક સંશોધનોના સંદર્ભોને આધારે એવું માનવામાં આવે છે કે ભક્તવર પીપાજી, પીપાનંદાચાર્યજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ, બુધવાર વિક્રમ સંવત ૧૩૮૦, તારીખ ૨૩-૪-૧૩૨૩ના રોજ થયો હતો. એક મત એવો પણ છે કે તેમનો જન્મ વિક્રમ સંવત ૧૪૧૭માં ચૈત્ર સુદ પૂનમે થયો હતો. દેવકૃપાથી એમના રાજ્યમાં દુકાળ કે મહામારીનો કોઈ પ્રકોપ ક્યારેય થવા પામ્યો ન હોતો.
રાજગાદીનો ત્યાગ કર્યા પછી રાજા પીપાજી સંત રામાનંદજીના શિષ્ય બન્યા. રામાનંદજીના અનંતાનંદ, કબીર, રૈદાસ વગેરે બાર શિષ્યોમાં પીપાજી પણ એક હતા. સંત પીપાજી દેશના મહાન સમાજ સુધારકોની શ્રેણીમાં આવે છે. તેમણે રાજસ્થાનમાં ભક્તિ અને સમાજ સુધારણાની અલખ જગાવી હતી. નિર્ગુણ વિચારધારાના આ સંત કવિએ ભારતમાં પરાપૂર્વથી ચાલી આવતી ચતુર્વણ વ્યવસ્થામાં નવીન 'શ્રમિક વર્ગ'નું સર્જન કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
એમના દ્વારા રચાયેલ આ શ્રમિક વર્ગ એવો હતો જે મુખેથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા રહી હાથથી પરિશ્રમ કરતો રહેતો હતો. સમાજ સુધારની દૃષ્ટિએ સંત પીપાજીએ બાહ્ય આડંબરો, કર્મકાંડો અને રૂઢિઓનો ભારે વિરોધ કર્યો અને જણાવ્યું કે ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. માનવ મન જ બધી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો મૂળ આધાર છે. ઈશ્વર કે પરબ્રહ્મની ઓળખ મનની અનુભૂતિથી થાય છે.
ભક્તરાજ પીપાજીનું બાળપણનું નામ રાજકુમાર પ્રતાપસિંહ હતું. લક્ષ્મીવતી એમની માતાનું નામ હતું. દરજી સમુદાયના લોકો સંત પીપાજીને પોતાના આરાધ્ય દેવ માને છે. બાડમેર જીલ્લાના સમદડી કસબામાં સંત પીપાજીનું એક વિશાળ મંદિર બનાવાયેલું છે જ્યાં દર વર્ષે વિશાળ મેળો લાગે છે.
Dasi Jivan Saheb
એ ઉપરાંત ગાગરોન (ઝાલાવાડ) અને મસુહિયાર (જોધપુર)માં પણ એમના સ્મરણમાં ઉત્સવ અને મેળો યોજાય છે. ગુરુ નાનકદેવજીએ એમની રચના એમના પૌત્ર અનંતદાસ પાસેથી ટોડા નગરમાં પ્રાપ્ત કરી હતી.અનંતદાસ દ્વારા લખાયેલ 'પચ્ચઈ'ના પચ્ચીસમા પ્રસંગમાં આ વાતનો ઉલ્લેખ છે. થોડા વખત બાદ આ રચનાને ગુરુ અર્જુનદેવજીએ 'ગુરુ ગ્રંથ સાહિબ'માં સમાવી લીધી હતી.
સંત પીપાજી એટલે કે પીપાનંદાચાર્યજીનું જીવન અનેક ચમત્કારોથી ભરેલું છે. એ રાજા હતા તે વખતે તેમની વિનંતીથી એમના ગુરુ સંતવર્ય રામાનંદજી કબીર, રૈદાસ વગેરે ચાલીસ શિષ્યો સાથે ગાગરોનગઢ આવ્યા હતા. ત્યાં થોડો વખત રહ્યા પછી ગુરુ રામાનંદજી દ્વારિકા ગયા. પીપાજી અને તેમની બાર રાણીઓ પણ દ્વારિકા જવા તૈયાર થયા. પણ માત્ર રાણી સીતા સહચરી જ સાથે જઈ શકી. પીપાજી તેને પણ સાથે લઈ જવા માંગતા નહોતા પણ ગુરુની આજ્ઞાા થવાથી તેને સાથે લઈ ગયા હતા. રામાનંદજી દ્વારિકાથી કાશી પાછા ફર્યા પણ ગુરુ આજ્ઞાાથી પીપાજીને સીતા સહચરી સાથે દ્વારિકામાં જ રહી જવું પડયું. તે દરરોજ દ્વારકેશ પ્રભુના દર્શન કરતા.
એક દિવસ ભક્તરાજ પીપાજીને હૃદયમાં તીવ્ર ઈચ્છા ઉદ્ભવી કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રત્યક્ષ દર્શન કરવા. ભક્તિના આવેશમાં પીપાજી અને એમની પત્ની સીતા સહચરીએ ભગવાનનો સાક્ષાત્કાર કરવા સમુદ્રમાં ઝંપલાવી દીધું. દ્વારિકામાં હાહાકાર મચી ગયો. તે બન્ને સાત દિવસ સમુદ્રમાં જ રહ્યા. લોકો સમુદ્ર કિનારે બેસી રહ્યા. સાત દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પટરાણી રુકિમણીજીના દર્શન કરી તે કૃતાર્થ બની બહાર આવ્યા.
Babaria Hasmukh
વિસ્મય ઉપજાવે એવી અદ્ભુત બાબત એ હતી કે એ સમુદ્રમાંથી બહાર આવ્યા હતા તેમ છતાં તેમના વસ્ત્ર જરાય પલળેલા નહોતાં. તે ભગવાન પાસેથી એક છાપ પણ લેતા આવ્યા હતા. તેમણે તે મંદિરના પૂજારીને આપી દીધી હતી અને કહ્યું હતું - 'જે આ છાપનો સ્પર્શ કરશે તે ભવસાગરની પાર ઉતરી જશે!'
એકવાર પીપાજી ટોડા ગામના તળાવમાં સ્નાન કરતા હતા ત્યારે તેના કિનારે થોડી સોનામહોરો જોઈ. તેમણે તે લીધી નહીં. પાછા ફરીને તેમની પત્નીને આ વિશે વાત કરી. કેટલાક ચોરોએ એમની આ વાત સાંભળી લીધી. તે સરોવરના કિનારે ગયા તો તેમને ત્યાં સોનામહોરો નહીં પણ સાપ અને વીંછી દેખાયા. તેમણે ગુસ્સે ભરાઈ એક પાત્રમાં તે ભરી લીધા અને પીપાજીના ઘર પાસે આવી તે પાત્ર તેમના ઘરમાં ફેંક્યું. તેમાંથી સાપ-વીંછી નહીં, સોનામહોરો નીકળી! ભક્તરાજ પીપાજીએ તેનો સાધુ-સંતોની સેવા માટે ઉપયોગ કર્યો.
પીપાવાવમાંથી ભગવાન રણછોડરાયજીની મૂર્તિઓને કાઢવી, સિંહને અહિંસાનો ઉપદેશ આપવો, મૃત તેલીને જીવતો કરવો, લાકડીઓને લીલા વાંસ રૂપે બદલી કાઢવી, એક જ સમયે પાંચ જુદા જુદા સ્થળે ઉપસ્થિત રહેવું એવા અનેક ચમત્કારો એમના થકી થયા હતા. સંત કવિ પીપાજીના અનેક પદો, દોહા સિખોના ગુરુગ્રંથ સાહિબમાં જોવા મળે છે. તે ઉપરાંત ૨૭ પદ, ૧૫૪ સાખિયો તથા અન્ય ગ્રંથ પ્રસિદ્ધ છેં

@hasmukh babaria
09-માર્ચ-2021
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો