મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

🌹ભેદુ હોય તેને ભેદજ દીસે.🌹

🌹ભેદુ હોય તેને ભેદજ દીસે.🌹




મારા રામ રસડાની વાતું, 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે. (ટેક)

ભેદુ હોય તેને ભેદજ દીસે 
ઈતો અગમ નિગમની વાતુ લઈયે 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

ઊંડા જળની આળું ન કરીયે 
કાંઠે બેસીને જળ નાઇયે 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

ઉંચા ઝાડનો અસીંગો ન કરીયે, 
પડ્યા ફળ વીણી લઈયે. 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

દાસી જીવણ સત ભીમના ચરણ, 
સમજી સમજીને રહીયે. 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

🌹 ભાવર્થ🌹
✍️રામ રસ ની વાતુ અનુભવ ની વાતુ જે ભેદુ છે એને કેવાય જે નો જાણતું હોય તો અમૂલ્ય શબ્દ વેરાય ગયા કેવાય. ભેદુ જે આ વાતને જાણનારો હોય એની આગળ આ વાતું કરીએ તો એ વાતું ભેદુ હોય તે સામે સાધુ સાધુ કહીને હોંકારા કરે અને બંને એકા બીજા અગમ નિગમ ની વાતું નો આનંદ માણે તો આ તો જીવણ બાપા જાણે આપણને આ બોધ આપતા હોય એવી વાણી છે. કે ઊંડા જળ નો અખતરો નો કરવો જો સમજુક હોવ તો કિનારે બેસીને સ્નાન કરી લેવું જોઈએ કારણ જો ઊંડા જળ મા ઉતારીએ તો કદાચ ઊંડાણ માં છુપાઈને બેસેલા મગર જેવા જળના જીવડાં સારા સારા તરવૈયા ને પણ ડુબાડી ને ભક્ષ બનાવી દે છે.
ઊંચું ઝાડ હોય અને અધર ફળ ની લુમ સોટેલી દેખાય તો પહેલા વિચાર કરવો કે ઉંચા વૃક્ષે પેહલાથીજ નીચે ફળ પાથરી દીધા છે. અને વધુ લાલચમાં જો ઝાડવે ચડયે તો એટલાજ જોરથી નિષે પસડાયી
અને કદાસ હાથ પગ ભાંગી જાય લાલચના કારણે. માટે નીચે પડેલા સ્વાદિષ્ટ ફળ વીણી લેવા જોઈ જીવણ બાપ નો આ કહેવું છે જો સમાજ હોય તો સતગુરુ ના ચરણમાં સમજીને રહીયે.
🙏🏻🌹 જય જીવણ બાપ 🌹🙏🏻
🙏🏻પ્રણામ સ્વીકારજો🙏🏻
સંત પ્રેમી હસમુખ મનુભાઈ બાબરીયા🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...