શનિવાર, 14 જુલાઈ, 2018

Dasi Jivan Saheb   પ્રભુની વેઠ



કાનજી પટેલને મળેલો જીવણ બાપનો આશીર્વાદ
અને અભાગ્યને સંતોનો ઈશારો
સમજણો નહીં સંત સામે ખોટુ બોલવાનું પરિણામ એટલે રાજની વેઠે જાવું પડ્યું

એકવાર જીવણ સાહેબ માંડણ -કુંડલા સતસંગ  માટે પધારેલા.બે-ચાર દિવસની ભજનની મસ્તી પછી ઘોઘાવદર પરત જવા તૈયાર થયા.સાથે થોડોક સમાન હતો તેથી એક સેવકને  ગાડુ જોડી મૂકી જવા કહેતા સેવકે જણાવ્યું. 
 "અત્યારે તો મરવાની પણ વેળા નથી.તેથી નહિ આવી શકું.'' 

     
સંતો આપણને કદાચ કાઇપણ કામ શિંધે તો જટ તૈયાર થઈ જાવું. અથવા જુઠ્ઠું કદીયે નો બોલવું  આયા જીવણ સાહેબ એને વેઠેથી બચાવવાનો પ્રયત્ન કરતાં હશે એવું મારૂ મન કહેછે. પણ આળસિ જીવડો સંતની હના સમજી ન શક્યો અને દરબાર સાહેબને વેઠે જવું પડ્યું. 

થોડીવારમાં જ તે સેવકને રાજની વેઠે જવાનું થયું પણ જે ગાડુ જોડવાનું ના પડતો હતો  તેને ગાડુ જોડી જવાનું થયું, ત્યારે જીવણ બાપા આ નીચેનું પદ બોલ્યા.
                 '' રામને ભજીલે સીતા રામને ભજીલે,
           રામ ભજયે તારા કારજ સરે અવિચલ પટો છે
           સંત બોલાવે ત્યાં ચાલતો નથી કહે ત્યાં કામ છે.
           માર પડે ત્યારે મોર ચાલે વેઠે ભાર વે રામને.''

ગામમાં બીજા કાનજી પટેલ સેખડા બહુ સંતપ્રેમી હતા.તે હાજર હતા તેમણે આ બીના નજરે નજર જોય વગર કીધે ગાડુ જોડ્યું ને કાનજી પટેલ જીવણ બાપને ઘોઘાવદર મૂકી ગયા. કાનજી પટેલ  પાછા વળતા હતા ત્યાં જીવણ સાહેબે પૂછ્યું  ''શું ભાડું આપું'' 


 ત્યારે પટેલે જવાબ આપ્યો હતો કે મને  કઈ ભાડું જોયતું નથી. હૂતો પ્રેમેથી પ્રભુની વેઠે આવ્યો હતો.
 ''સદાયે દયા ભાવ રાખજો'' જીવણ બાપા આ સાંભળીને ખુબ આનંદ મય થયા અને આશીર્વાદ આપતા કહ્યું.''જાવ પટેલ! તમે કુંડલાના પટેલ થશો. ઠાકરની વેઠ ઉપર બીજી કોઈ વેઠ ન હોય.'' થોડાજ દિવસમાં કાનજી પટેલને દરબાર તરફથી ગામની પટલાઇ મળી. વેઠના દિવસોમાંજ કાનજી પટેલને દરબાર તરફથી ગામની પટલાઇ મળી.વેઠ્નો વારો કોઈ દિવસ આવ્યો નહિ.સંત- સેવાનું આવું ફળ મળ્યું હતું તેમ પટેલના હાલના વંશજો કહે છે. ઘોઘાવદર હાલ કાયમ દર્શન આવે છે.

🙏🌹જય જીવણ બાપા 🌹🙏જય ગુરુ દેવ 🌹🙏


દાસી જીવણ સાહેબ Dasi Jivan Saheb

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...