શનિવાર, 28 જુલાઈ, 2018

🙏🌹ગુરજી આવ્યા થયું આંજવાળું. 🌹🙏

🙏🌹ગુરજી આવ્યા થયું આંજવાળું🌹🙏
દાસી જીવણ બાપા ને ૧૭ ગુરુ કર્યા એમ લોક વાયકા છે અને ૧૮ માં ગુરુ ભીમ સાહેબ. ગુરુ ને લાખ લાખ વંદન 🌹🙏
✍️જેમને કોટિ કોટિ વંદન અને એમના સત બોધથી આજે જીવણ બાપા જેવા મહાન સંત સંતો માં એક મહત્વનુ બિરદ એવ જીવણ સાહેબને કોટિ કોટિ વંદન અને ભીમ સાહેબને કોટિ કોટિ વંદન
કહેવામા આવે છે કે જીવણ બાપા સત બોધ લીધા પછી ગુરુ પ્રત્યે જેને બોધ લીધા પેલા નફરત હતી. તે બોધ લીધા પછી કેવું પદ બોલ્યા કેવુપદ આવું તો કોય સાચો ગુરુભક્ત વાણી બોલી સકે અને અત્યારે લાગટ બીજાના ભજનોની નકલ કરી પોતાનું નામા સરણ લખી નાખે આવું નો કરવું જો એલા સતગુરુ ઉપર વિશ્વાસ રાખો જરૂર તમારી પણ આત્મ વાણી બહાર આવશે પણ મહાન સંતોના પદ ની નકલ નો કરો તમારો આતમો બોલે એ લખો કારણ તુલસી મહાત્મા કહેચે કે "તુલસી આ સંસારમાં સાહુકોય ભગત બનીજય, તો નરક કુંડ ખાલી રહે, અને સ્વર્ગ કુંડ માં બધાય ક્યાથી હમાય. માટે પોતાની આત્મ વાણી રજૂ કરો.
----------------------------------------------------------------------------
અંજવાળું અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાળું.(ટેક)
સતગુરુ ગુરુશબ્દ શ્રવણે સુનિયો,
ભીમ ભેટ્યા ભાંગ્યું ભ્રમણાનુ તાળું. ગુરુજી અંજવાળું.....
જ્ઞાન ગરીબી સંતોની સેવા,
પ્રેમ ભક્તિ નો સંગ પાળુ. ગુરુજી અંજવાળું...
ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામ,
તેજ તત્વ મા ભાળું. ગુરુજી અંજવાળું...
દાસી જીવણ સત ભીમ ને ચરણે,
અવર દુજો ધણી નહીંધારું.ગુરુજી અંજવાળું...



🙏🌹જય જીવણ બાપા 🙏🌹જય ભીમ સાહેબhttps://www.facebook.com/DasiJivanSaheb/posts/22587751274
https://www.facebook.com/DasiJivanSaheb/posts/2258775485625   Dasi Jivan Saheb Guru Bhim Saheb🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...