શનિવાર, 28 જુલાઈ, 2018

મિરા બાઈ રોહિદાસ બાપા અને બલક બુખારુંદા બાદશાહ. Mira Bai. Guru Rohidas & Balak Bukharunada Badsha.Guru Kabir Saheb.

મિરા બાઈ રોહિદાસ બાપા અને બલક બુખારુંદા બાદશાહ.

Balak Bukharunda Badshah. Guru Kabir Saheb.
Mira Bai Guru. Rohidas.    


તેવો પણ આજ સાહેબ પ્રણાલિકા ના અમુલ્ય રત્નો છે. હજુ ઘણા સંતો હશે પણ મારા પાસે આટલીજ યાદી છે. જે યાદીને જોતાજ મનના બધાજ સંશયો દૂર થાય છે . એકતો મીરબાઈ ચિતોડ ના મહારાણી અને રોહિદાસ બાપા ચામડા ના બુટ સંપલ અને મોજડી બનાવે. એક વખત રમાનદ બાપા તેમના ગામ આવેલા કોઈને મળવા અને એમાં રોહિદાસ બાપાને ખબર પડી કે આપણા ગામ સંત શિરોમણી રામાનંદ સાહેબ આવ્યા છે અને રોહિદાસ બાપાને તેમને મળવાની ખૂબ ઈચ્છા થઈ અને ઘણા સમયથી જે ઈચ્છા હતી તે પૂર્ણ થઈ અને રામાનંદ સાહેબના ચરણો માં તેમણે સુંદર મોજડી બનાવેલી જે રામાનંદ સાહેબને ભેટ ધારવાજ બનાવી હતી. અને ત્યારે રવિ નામ હતું .અને જ્યારે રઈ એ તેમના ચરણોમાં આ મોજડી મૂકી અને બોલ્યા કે મારા પાસે આનાથી વિશેષ ભેટ કહીજ નથી. અને રામાનંદ સાહેબે તેમને કહ્યું તારી કવિતાવો ની રચના ખૂબ સુંદર અને મોહિત કરનારી છે. તો તને સાચેમાં રામ દર્શન કરવા છે. તો બાપા બોલ્યા હા અને ત્યાં બોધ આપ્યો કહ્યું કે મને તમારો દાસ બનાવો તો રામાનંદ સાહબે બોલ્યા મારો દાસ નહીં પણ રામનો દાસથા અને ત્યાં રવિ માથી રોહિદાસ નામ પડ્યું. અને રામાનંદ સાહેબની ગુરુભક્તિ સ્વીકારી અને મહાન સંત આજે આખા વિશ્વમાં તેમને સન્માન અને મહાજ્ઞાની ની તરીકે બિરદાવે છે. પછીના પ્રસંગોમાં ઘણી વાતો છે. જેમાં મિરા બાઈ રાજ કુવરી હતા અને મિરા ગિરધર ના ગુણ ગાવામાં મગ્ન હતા તેમાં એમની મુલાકાત બલક બુખારુંદા બાદશાહના દીવાન એમની સાથે થઈ અને મીરબાઈ ની ભક્તિ જોય બોલ્યા કે તમને જો મુર્તિમાંથી સાચા ગિરધારી જોવા હોય તો કાશીના કબીર સાહેબ ને મળો મીરાતો કહે મુરતીમાં નહીં તો સાચછેમાં ગિરધર મને જોવા મળે તો દીવાન બોલ્યા કે હા મારા મહારાજા પણ કબીર સાહેબના શિષ્ય છે તેમણે પણ મરેલા ઉટને જોઈને ફકીરી લીધી અને મેજ તેમણે કહ્યું હતુકે તમને જો આ ઉટની આત્મા ક્યાં ગઈ કે આપણી અંદરની આત્મા કેમ જોવી ક્યાં જોવી કેમ અનુભવ કરવો તો મે કહ્યું તેતો બેહદ ની વાત છે. તો આવી બેહદ ની વાત જાણવી હોય તો તે સંતો આપણને જણાવી શકે અને એજ પળમાં બુખારુંદા બાદશા ફકીરી સ્વીકારી અને કબીર સાહેબ જેવા મહાન સંતની છાયા મળી અને તમને પણ જો ગિરધારી ના દર્શન કરવા હોય તો કબીર સાહેબ કાશીમાં છે ત્યાં જાવ જરુરુ રસ્તો હુજશે. અને મિરા બાઈ એજ ઘડી એજ પળ વિના સમય ગુમાવે કાશી પ્રસ્થાન કર્યું. કબીરસાહેબની જુપડીએ ગયા અને બોઘ આપવાની વાત કરી પણ કબીર સાહેબે ના પાડી. કે હે મીરાબાઈ તમે આયા હુધી હૂકામ ધક્કો કર્યો તમારા ચિતોડ ની બાજુમાં સરશય ગામ છે ત્યાં મારા ગુરુભાઈ રોહિદાસ રહે છે. તમે તેને વિનંતી કરો અને તેમની પાસે બોધ લ્યો. ન્યાથી મિરા બાઈ પાસા સરસય ગામ આવ્યા અને રોહિદાસ બાપાને મળ્યા. તો રોહિદાસ બાપા તેમણે પણ મિરાબાઈને ના પાડી કે
"મિરા બાઈ પાછા ઘેર જાવો, તમે રાજના કુવરી અને અમે જાતના ચમાર"
તમને લોકો ગમે તેમ બોલશે તમારી નિંદા કરસે તમને ના કેવાના વેણ કેસે આ બધુ તમે નહીં સહન કરીશકો માટે મારી વિનંતી તમે ''પાછા ઘેરે જાવો''
મિરા બાઈ ત્યાથી ડગયા નહીં અને મક્કમ તાથી ગુરુજીને વચન આપ્યું કે ''હું હવે આયાથી પગલાં પાસા નહીં કરું,પાટી થોડી જવું ઘણે દૂર ગુરુજી હવે મેરુ કરો'' દુનયાને જે કેવું હોય તે કેય મારા ઉપર દયા કરો મને ક્રુષ્ણ દર્શન કરવો મારા ગિરધરના દર્શન કરવો. રોહિદાસ બાપા તેમણે એમની માથે કરુણા કરી અને મિરા બાઈ તુરંત એજ પળ માં ભજન બોલ્યા કે
"આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે,
ભ્રમણા ને ભાંગ્યા વિના લખ ચોર્યાસી નહીં મટે"
ગુરુ રોહિદાસ પ્રતાપે,બાઈ મિરા બોલ્યા...
જોવ જરાક વિશાર કરજો અત્યાર હુધી મિરા બાઈ ગિરધર ના ગુણ ગાતા હતા. જેવોજ બોધ ગુરુ રોહિદાસ બાપનો લાગ્યો એટલે ગુરુને પ્રતાપે બોલવા મંડ્યા.. તો મિરા બાઈ ભ્રમણાઑ રોહિદાસ બાપાના જ્ઞાન પ્રકાશ થી થઈ અને મિરા બાઈએ જરાપણ જાતિ પાટી લોકોનું બોલવું ઘરેથી રાણાજી યે જેરનો પ્યાલો મોકલાવ્યો ઘણું થયું પણ મિરા બાઈ ડગયા નહીં. જય હો સંતમિરા બાઈ તમારી ગુરુ ભક્તિ ને નમન છે. 🙏
હમણાંના ઘણા લોકો કેવું કેય ખબર અમારેતો વાંધો નથી પણ અમને ગામના લોકો સાથે રહેવું પડે માટે અમે તમારાથી શેટા રહીએ બાકી કાય વાંધો નથી તો આવા લોકોને કોય દિવસ શાક્ષાતકાર થતો નથી અને બીજાને પણ ભ્રમનાવોમાં ભ્રમાવે અને અવળે રૂવાડે સડાવે..
Dasi Jivan Saheb

🙏🌹ધન્ય સંતમિરા બાઈ🌹🙏🙏🌹જય રોહિદાસ બાપા 🌹🙏
🙏🌹જય જીવણ બાપા 🌹🙏જય ગુરુ દેવ 🌹


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...