શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

🙏🌹સતગુરુ ભીમ સાહેબનો સંદેશો... 🌹🙏

🙏🌹સતગુરુ ભીમ સાહેબનો સંદેશો... 🌹🙏



જ્યારે જીવણ બાપા ઉપદેશ લીધા પશી બાપા નુ ,મન અસ્થિર થવા લાગ્યું અને ફરીથી મોહમા અને ભ્રમણા માં મન તરબોળ થવા લાગ્યું ત્યાર ની વાત છે તે હું અહિ એ પ્રસંગ જીવણ બાપા ના જીવન નો છે તે અહી આલેખન કરું છું જરૂર તમને વાચીને ગમશે અને આ જીવનમાં આપણને પ્રેરણા મળે એવું છે આમતો જીવણ બાપા નુ આખું જીવન માનવ માટે પ્રેરણા રૂપ છે.
જીવણ બાપા ભીમ સાહેબ પાસે બોધ લીધા પછી કહ્યું કે
"અંજવાળું અજવાળું ગુરુજી મારે અંજવાળું,
આજે તમ આવ્યા થયું અંજવાળું,

સતગુરુ શબ્દ શ્રવણે સૂનયો,
ભીમ ભેટ્યા ભાંગ્યું ભ્રમનું તાળું, 
આજ ગુરુજી તમ આવ્યા...

જ્ઞાન ગરીબી સંતોની સેવા,
પ્રેમ ભગતિનો સંગ પાળુ.
ગુરુજી મારે આંજવાળું...

ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા,
તે જ તત્વમાં તમને ભાળું..
ગુરુજી મારે આંજવાળું...

દાસી જીવણ સત ભીમના ચરણા,
અવર દુજો ધણી નહીં ધારુ. 
ગુરુજી આજ આંજવાળું..

આમ જીવણ બાપા ભીમ સાહેબે ને કહ્યું અને પછી થોડા સમય પછી ભીમ સાહેબ તેમના ગામ આમરણ જતા રહ્યા અને અચાનક એક દિવસ ધોઘાવદાર થી સંઘ ચારધામ ની યાત્રા જવા નીકળ્યો અને જીવણ બાપા ને ચાર ધામની યાત્રાનું આમંત્રણ મળ્યું એ પણ હાવ મફત જવું અને આવવું તો કોઈપણ નું મન લલચાય અને જીવણ બાપા ને પણ સંધ સાથે જવાનું મન થયું પણ ભીમ બાપા એ કઈ બીજું સમજવ્યું હતું કે જીવણ આ ઘટમાં ગંગા ગોમતી અને ઘટમાં કાશી અને કેદાર આવું સમજવ્યું હતું છતાય મન જીવણ બાપા નું માનતું ના હતું એમને સંધ સાથે જવા ખૂબ ઉત્સાહિત હતા પણ એક બાજૂ ભીમ સાહેબના કહેલાં વચન પણ યાદ આવતા હતા પછી બહુ નો રેવાણું તો જીવણ બાપા એ ભીમ સાહેબ ને પત્ર લખ્યો આમરણ કે.
સેજે સયાજી મારૂ દિલડું ન માને દુબજાળું.
કહોને ગુરુજી, મારૂ મનડું ન માને મમતાળુ.
વાળી વાળી મનને વાડલે પૂરું વાલા,
પતળેલ જાય છે પરબારું.

ઘડી એક મન મારૂ કીડી કુંજર વાલા, ઘડીક ઘોડે ઘડીક પાળે,
તીરથ જઈને તપષ્યા રે માંડું વાલા, પંચ ધૂણી પરજાળું,
મારૂ મનડું ન માને મમતાળુ....

કામ અને કાજ માને કાઇન સુજે વાલા,ખલક લાગેછે બધુ ખારું. 
હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું વાલા,રૂઠડા રે રામને માનવું.
મારૂ મનડું ન માને મમતાળુ.

દાસી જીવણ સત ભીમ કેરા ચરણા વાલા,સરજ્યું હશે તો થાશે સારું.
મારૂ મનડું ન માને મમતાળુ.

આવો પત્ર ગુરુજી ભીમ, સાહેબ ને જીવણ બાપા યે લખ્યો અને ભીમ સાહેબે પત્ર વાચતાજ કીધું કે જીવણ પહેલા કેતો હતો બધુ સમજાય ગયું અને હવે આવો પત્ર લખીને મને પણ ૧૭ ને ગુરુ બનાવ્યા અને છોડ્યા એમ હવે મારો ૧૮ માનો પણ આવો વારો લાગે છે. પણ ભીમ સાહેબ ની સાથે તેમના શિષ્ય કલ્યાણ સાહેબ પણ રહતા હતા અને પછી ભીમ સાહેબે કલ્યાણ સાહેબને કહ્યું કે આપણે એક છેલ્લો સમજાવવાનો પ્રયત્ન કરીયે જો જીવણ સમજી જાય. આપણે કઈ એને બાંધ્યો નથી એતો એને સમજાય તો એનો બેડો પાર ઉતરી જાય. તો કલ્યાણ સાહેબેને વળતો પત્ર લખી ને મોકલવ્ય પણ સાથે કહ્યું કે કલ્યાણ તું આ પત્ર વાચતા પહેલા જીવણ ને બે શબ્દો કડવા કહજે જેથી તેને ખબર પડે પછી કલ્યાણ સાહેબ બીજા દિવસે આમરણ થી ઘોઘવાદાર આવ્યા અને ભીમ સાહેબનો જે સંદેશો હતો એની પહેલા જીવણ બાપાને કેવું બોલ્યા જુવો.
જીવણ ગુરુજી તારા ગામથી તો નજીક રહેચે અને તું પત્ર લખી મોકલે છે. તારે આમરણ આવતા કેટલી વાર લાગત તો તૂયે આવો પત્ર લખ્યો અને જીવણ બાપા કલ્યાણ સાહેબેને ચરણોમાં શીશ નમાવી રડી પડ્યા.
પછી કલ્યાણ સાહેબ તેમણે કઠોર શબ્દો કીધા તે નીચે પ્રમાણે છે.
જીવણ તુએ ગુરુ કર્યા પણ તને ગરજ નથી, ગરજ વગર જ્ઞાન ક્યાથી આવે. 
જ્ઞાન વિનાનો નર પાવૈયો, જે નર કે નારી માં નો આવે રે.

ગુરુજીના વચનો રૂદયે ધરો, કા ફરોછો વાંજણ્યુ જેવા રે,
ભક્તિ રે વિનાનો નર ભૂત સમાન છે,હામો મળ્યો નહીં સારી રે.

ધિક ધિક ધિક એની જનની નો જાયો,ના હાકનો નૂર ગુમાવ્યો રે,
ભક્ત જે જનમ્યા એને ધન્ય છે,ધન ધન હરીજન જાયા રે.

વૈંકુટે વાગ્યા એના વધામણાં,ત્રણ લોકમાં એની સાયરે,
ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની,શુધ્ધ વિચાર થી આવે રે.

કહે રે કલ્યાણ જીવણ દાસ તને,
ફેરો કોય સમજૂક ને ભાવે રે.....

તો આવા જોર ભરેલા શબ્દોના ઘા જીવણ બાપાને માર્યા અને પછી ભીમ સાહેબનો સંદેશો એમના રુદયમાં અને સાંધે સાંધે ફરી વળ્યો અને મન ને ભક્તિ તરફ વાળી અને આજે આપણને આવા મહામાનવ કહીયે તોય ઓછું છે. આવા સંતો તેના ચરણ ની જો રજ પણ માથે લગડી દેવી તો બેડો પાર


🙏🌹જય ભીમ સાહેબ🌹🙏
🙏🌹જય કલ્યાણ સાહેબ🌹🙏 🙏🌹જય અક્કલ દાસ સાહેબ 🌹🙏
🙏🌹જય જીવણ બાપા 🌹🙏 જય ગુરુદેવ 🌹🙏

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...