રવિવાર, 14 માર્ચ, 2021

સંત કબીરની અમૃતવાણી




 

સંત કબીરની અમૃતવાણી

સંસ્કૃત ભાષામાં સુભાષિત હોય છે. આ સુભાષિતના માધ્યમથી જે કંઈ વ્યક્ત થાય છે તે અર્થપૂર્ણ અને અનુભવસિદ્ધ હોય છે. આવી એક પંકિત છે -
જે અર્થપૂર્ણ અને સમજવામાં ખૂબ સરળ છે.
‼️સાધુવો નહિ સર્વત્ર, ચંદનું ન વને વને - ‼️
અર્થાત્ આવા સપુરુષ ખરેજ દુર્લભ છે !
વિશ્વમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના માણસો જોવા મળે છે. સામાન્ય માણસો , સંસ્કારી સજ્જનો અને સંત પ્રકૃતિના સંત પ્રકૃતિના વ્યકિતઓ સ્વભાવે ખૂબ સરળ અને પ્રભુ પરાયણ જીવન જીવતા હોય છે-
જે સૌનું ભલુજ ઇછનારા હોય છે. સાચો માણસ, કદાચ એમની સાથે સારું વર્તન નહીં કરે તો પણ આ સંતપ્રકૃતિના માણસો સામા માણસ સાથે સારું વર્તન નહીં કરે તો પણ આ સંતપ્રકૃતિના માણસો સામા માણસ સાથે સારું વર્તન જ કરશે. કારણકે એ સ્વભાવે અજીત અને સંત છે.
ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
યાદ રહે કે સંતો સદાય સરળ હોય છે. મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ, ઇસુ યા મહંમદ સાહેબ સદાય શાંત રીતે જે તે વ્યકિત સાથે વર્તન કરતા. આવા સંતો ભલે સમાજમાં ઓછા હોય, પણ આવા સંતો દુર્લભ હોય છે. ઉપરોક્ત શ્લોકની પંકિતમાં કહ્યું છે કે
‼️બધા જંગલોમાં ચંદનના વૃક્ષો હોતાં નથી‼️
તેવી રીતે સાધુ સંતો પણ ખૂબ ઓછા હોય છે.
રામ, કૃષ્ણ, મહાવીર, ભગવાન બુદ્ધ, ઇસુ, મહાત્મા ગાંધી વગેરે જે યુગપુરુષો મળવા દુર્લભ છે.સાચાં કીમતી મોતી ખૂબ ઓછાં જ હોય, છાશ અને માખણ બન્નેમાં માખણ ખૂબ ઓછું હોય છે.પણ એનું મૂલ્ય અનેકઘણું હોય છો. આજે વતી આ નવનીતછે.-અમૃત છે.
આજે સંતજ્ઞાની કબીરની થોડીવાત કરવી છે.કબીર વણકર જ્ઞાતિના હતા અને કાપડ વણતા. છતાં તેઓ જ્ઞાની હતા અને પ્રભુ પરાયણ જીવન જીવતા.કબીર વણકર હોઈ દૃષ્ટાંત પણ વણાતી ચાદરનું દ્રષ્ટાંત આપે છે.

‼️ઝીની ઝીની બીની ચદરિયા’ ‼️
‼️ચાદર ઓઢકે શંકા મત કારીઓ‼️
‼️દો દિન ઓઢણકો દીની,‼️
‼️મૂરખ લોગ ભેદ ન જાણ્યો,‼️
‼️મેલી મેલી કર દીની‼️
‼️દાસ, કબીર જતન સે ઓટી, ‼️
‼️જ્યો કિલ્યો ઘરદીની ચદરિયા.' ‼️

વણકરતો ચાદર સુંદર વણી છે- ચાદરબારીક પણ છે.
આ ચાદરદેવ-દાનવ માનવ અને મુનિ બધાએ ઓઢીને મેલી કરી નાખી છે. આનો ખરો અર્થ હવે સમજાય છે યાદ રહે કે ચાદર સ્વયં જીવન છે. એને ઓઢનાર અજ્ઞાની વ્યકિત તેનું મૂલ્ય સમજતા નથી. તેથી જીવન કલુષિત કરી નાખે છે. શ્વાસ અને ઉચ્છવાસના તાણાવાણાથી આચાદર વણાય છે.
પ્રભુએ ખરેખર મનુષ્યને શુધ્ધ જીવન આપ્યુલુ છે.
Dasi Jivan Saheb
કહેવાનો ભાવ એવો છે કે જેવું શુધ્ધ પ્રભુએ આપણને આપ્યું છે તેવુંજ શુધ્ધ જીવન જીવી જાણીએ. અને અંતે સમગ્ર જીવન તેના ચરણોમાં સમર્પિત કરી દઈએ .
Babaria Hasmukh
આવું આધ્યાત્મિક રહસ્યથી ભરેલું અર્થસભર કલ્યાણકારક જીવનનું મૂલ્ય ખરેખર દુર્લભ છે જ- જે સમજે તેને માટે કબીર વાણી તો અમૃતવાણી છે. આ વાણીને આત્મસાત કરનારનું જીવન ધન્ય બની જાય છે. કબીર જેવા ઘણા સંતો આ માર્ગે યાત્રા કરીને પરમની અનુભૂતિ કરી ચૂક્યા છે.
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
13-03-2021
06:51pm

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...